Wednesday, November 11, 2009

શ્રી પેથલજીભાઈ ચાવડા રકતતુલા મહોત્સવ યોજાયો


વાડોદર ખાતે શ્રી પેથલજીભાઈ ચાવડા રકતતુલા મહોત્સવ યોજાયો
વાડોદર ખાતે તા:-૮-૧૧-૦૯ ને રવિવાર ના રોજ આહીર જ્ઞાતિ ના આદરણીય ગ્નાતીરત્ન શ્રી પેથલજીભાઈ ચાવડા ની સુદિર્ઘ સેવા ઓ અને જ્ઞાતિ ના વિકાસ માં તેઓશ્રી ના અનન્ય યોગદાન ના પ્રતિભાવો સ્વરૂપે શ્રી પેથલજીભાઈ ચાવડા ની ભવ્ય રકતતુલા કરવા માં આવી હતી
આ કાર્યક્રમ માં પોરબંદર ના સંસદ શ્રી વિઠલભાઈ રાદડિયા,શ્રી પ્રવીણભાઈ માંકડિયા,શ્રીએ જવાહરભાઈ ચાવડા,નાગદાનભાઈ ચાવડા,ઘનશ્યામભાઈ ખાતરીયા,દિલીપભાઈ ચાવડા,ભાનુભાઈ મેતા, હાજર રહ્યા હતા .
ધોરાજી-ઉપલેટા વિસ્તાર ના આજુબાજુ ના ગામ જેવા કે કુંધેચ.હળમતિયા ,વરજાંગ જાળિયા ,ગણોદ.ઉપલેટા એમ કુલ મળી ને દશ ગામો ના આહિર યુવાનો એ રક્તદાન માં ભાગ લીધો હતો .
શ્રી પેથલજીભાઈ ચાવડા ને વિનુભાઈ ડાંગર,કરશનભાઈ ડાંગર,હાજાભાઇ ડાંગર એ સન્માનપત્ર અર્પણ કર્યું હતું,તથા મોમેન્ટો જ્ઞાતિ ના આગેવાનો એ અર્પણ કર્યું હતું,શ્રી કરશનભાઈ ડાંગર (માજી તા.પ.સદસ્ય ધોરાજી)એ સૌ મહેમાનો નું સ્વાગત કર્યું હતું,
આ તમામ કાર્યક્રમ નું સંચાલન શ્રી ચંદુભાઈ હેરભા,મનુભાઈ બકુત્રા તથા રાજાભાઈ વીરડા એ કર્યું હતું